જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?
જોડણીના જિગીષુઓ અને જિજ્ઞાસુઓ,
સસ્નેહ અભિવાદન.
આ બ્લોગનો હેતુ જોડણીના ઝઘડાને સમજવાનો અને નવા બ્લોગર બન્યા છે તેમને સમજાવવાનો છે.
આ બ્લોગ પર ગુજરાતી જોડણી વિશેના વિદ્વાનોના મંતવ્યો સંદર્ભ સાથે મૂકવામાં આવે છે. આમ કરતાંને કોપીરાઈટ ભંગ થતો જણાય તો જાણ કરવા વિનંતી.
અહીં પ્રસ્તુત વિચારો જે તે વ્યક્તિ/સંસ્થાના પોતાના છે અને આ બ્લોગના સંપાદક દરેક વિચાર સાથે સહમત છે તે માનવું ભૂલભરેલું છે.
જોડણીભૂલ/લેખનભૂલ બાબત ચોકસાઈ રાખવા છતાં ક્યાંક દેખાઈ જાય તો જાણ કરવા વિનંતી જેથી સત્વરે સુધારી શકાય.
અનામી અભિપ્રાય પણ આવકાર્ય પણ જીવંત સંપર્કસૂત્ર (valid email) હોવું જરૂરી છે અન્યથા રદ કરવામાં આવશે.
ભવદીય,
સ્થિતપ્રજ્ઞ
સંપર્કસૂત્ર - sthitprgya@googlemail.com
સમુહ સંપર્કસૂત્ર – sthitprgya@googlegroups.com
2 Comments
ભાઈશ્રી સ્થિતપ્રજ્ઞભાઈ,
ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે
તમે તમારી તતુડી વગાડવાની ચાલુ રાખો, અમારો તમને પુરેપુરો ટેકો છે
જોડણીના નિયમો વિશેના લેખ જુ.કાકા (જુગલકિશોર વ્યાસ) ના બ્લોગ પર વાંચ્યા હતા, તે પછી આ બ્લોગ પર જોડણી વિશેની માહિતી જાણવા મળી.